1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરાદ-સાંચોર હાઈવે પર જુદા જુદા બે અકસ્માતમાં ત્રણના મોત
થરાદ-સાંચોર હાઈવે પર જુદા જુદા બે અકસ્માતમાં ત્રણના મોત

થરાદ-સાંચોર હાઈવે પર જુદા જુદા બે અકસ્માતમાં ત્રણના મોત

0
Social Share
  • પીલુડા નજીક હાઈવે પર ટ્રકે રાહદારીને અડફેટે લેતા મોત
  • કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી
  • ઓઈલ ઢોળાંતા રોડ લપસણો થયો અને બાઈક સ્લીપ થતાં બેના મોત

પાલનપુરઃ જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર રવિવારે પ્રજાસત્તાકના દિવસે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરાદ-સાંચોર હાઈવે પર પીલુડા નજીક બન્યો હતો. જ્યાં એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતાં રોડ પર ચીકાશ યુક્ત કેમિકલ રેલાઈ ગયું હતું. આ કેમિકલના કારણે રોડ લપસણો બની ગયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા બે યુવકોની બાઈક સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, થરાદના મિયાલ નજીક રવિવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં હાઈવે પર ચીકાશ યુક્ત કેમિકલ ફેલાઈ ગયું હતું. આ કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની હતી. અનેક મોટરસાયકલ અને સ્કૂટર સ્લિપ થઈ જતાં તેમના ચાલકો રોડ પર પટકાયા હતા. વધુમાં, ફોર વ્હીલર વાહનોને બ્રેક લગાવવામાં મુશ્કેલી પડતાં ત્રણથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઢોળાયેલા કેમિકલને કારણે રોડ અત્યંત લપસણો બની જતાં આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે લોકોના મોત થયા હતા આ લોકોને ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. કેમિકલના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતની ગંભીરતાને જોતાં સ્થાનિક વાહનચાલકો અકસ્માત સ્થળેથી પસાર થતાં ભયભીત થઈ રહ્યા હતા. બીજી દુર્ઘટના બાદ ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, થરાદ-સાંચોર હાઈવે પર પીલુડા નજીક એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ફરાર થયેલા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ હાઇવે પર વાહન ચાલકોની બેદરકારી અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક લોકોએ હાઇવે પર સુરક્ષાના પગલાં વધારવાની માગ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code