1. Home
  2. ગુજરાતી
  3. એન્ટીવાયરસ પ્રોગ્રામથી સેફ રહેશે કમ્પ્યુટર? બચવા અપનાવો ટિપ્સ
એન્ટીવાયરસ પ્રોગ્રામથી સેફ રહેશે કમ્પ્યુટર? બચવા અપનાવો ટિપ્સ

એન્ટીવાયરસ પ્રોગ્રામથી સેફ રહેશે કમ્પ્યુટર? બચવા અપનાવો ટિપ્સ

0
Social Share

લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ઓફિસનો મહત્વપૂર્ણ ડેટા અને ઘણી જરૂરી જાણકારી ઘણીવાર હાજર હોય છે. કમ્પ્યુટરમાં વર્કપ્લેસ ડેટા સાથે પર્સનલ અને નાણાકીય જાણકારી હોય છે. ટેક માર્કેટમાં ઘણા માલવેર અને વાયરસ છે, જે સિસ્ટમમાં હાજર ડેટાને નુકસાન પહોંચાડી શકે છે.

કમ્પ્યુટરની સેફ્ટી માટે એન્ટીવાયરસ પ્રોગ્રામ
લેપટોપ અથવા કમ્પ્યુટરની સેફ્ટી માટે એન્ટીવાયરસ પ્રોગ્રામ ખૂબ જરૂરી છે. કમ્પ્યુટર ડેટાને સુરક્ષિત કરવા માટે એન્ટીવાયરસ પ્રોગ્રામ્સ વધુ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ટેક્નોલોજીને કારણે, સિસ્ટમમાં કોઈપણ માલવેર અને વાયરસની ઓળખ અને બચવાની સુવિધા મળે છે. એન્ટીવાયરસ પ્રોગ્રામ સરખી રીતે કામ કરે તે માટે સોફ્ટવેરને સમયસર અપડેટ કરવામાં આવે.

વાયરસથી બચવા માટે કેટલીક ખાસ ટિપ્સ

  • સિસ્ટમને વાયરસથી બચાવવા માટે, ડિવાઈસમાં કોઈપણ એપ્લિકેશન હંમેશા ભરોષાલાયક વેબસાઇટ પરથી જ ઇન્સ્ટોલ કરો. ગુગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પરથી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો બીજા પ્લેટફોર્મ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તો કોઈપણ ખતરનાક વાયરસ પણ ડિવાઈસમાં પ્રવેશ કરી શકે છે.
  • લેપટોપ અથવા કમ્પ્યુટરમાં વેબસાઈટ પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા તેને વેરિફાય કરો. તેના માટે તમે એપના રિવ્યૂની મદદ લઈ શકો છો. સાથે એપની રેટિંગની મદદ લઈ શકો છો.
  • કોઈપણ વાયરસ અથવા માલવેરથી સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે, તેની ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખવું જરૂરી છે. સાથે કંપની દ્વારા ડિવાઈસ પર સમય સમય પર સિક્યોરિટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરતા રહો.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code