1. Home
  2. ગુજરાતી
  3. નેપાળી આર્મી ચીફ જનરલ સિગ્ડેલ ચાર દિવસીય ભારતની મુલાકાત લેશે
નેપાળી આર્મી ચીફ જનરલ સિગ્ડેલ ચાર દિવસીય ભારતની મુલાકાત લેશે

નેપાળી આર્મી ચીફ જનરલ સિગ્ડેલ ચાર દિવસીય ભારતની મુલાકાત લેશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના આમંત્રણ પર નેપાળના આર્મી કમાન્ડર-ઇન-ચીફ જનરલ અશોક રાજ સિગડેલ 11 ડિસેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન જનરલ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવશે. જે બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલતી પરંપરા છે.

નેપાળના સંરક્ષણ મંત્રાલયે કમાન્ડર-ઇન-ચીફ જનરલ સિગડેલને ઔપચારિક મંજૂરી માટે કેબિનેટને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલ્યું છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ચીનની મુલાકાતેથી પરત ફર્યા બાદ યોજાનારી કેબિનેટની બેઠકમાં આ મુલાકાત માટે ઔપચારિક મંજૂરી આપવામાં આવશે. નેપાળી આર્મી હેડક્વાર્ટરના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાને જનરલ સિગડેલની દિલ્હી મુલાકાત વિશે માહિતી આપવામાં આવી છે. કમાન્ડર-ઇન-ચીફને 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવશે.

તાજેતરમાં 20 નવેમ્બરે જનરલ દ્વિવેદીએ નેપાળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે એક સમારોહમાં નેપાળ આર્મીના જનરલના માનદ પદથી સન્માનિત કર્યા હતા. જનરલ દ્વિવેદીએ તેમની મુલાકાત દરમિયાન મુખ્ય સંરક્ષણ મથકોની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ પૌડેલ અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી સાથે સૌજન્ય મુલાકાત ઉપરાંત તેમણે દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર જનરલ સિગડેલ સાથે પણ બેઠક યોજી હતી. નેપાળની મુલાકાત દરમિયાન ભારતીય સેના પ્રમુખે પશુપતિનાથ મંદિર અને મુક્તિનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ધાર્મિક વિધિઓ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code