1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક લકઝરી બસે પલટી ખાતાં 25 પ્રવાસીઓ ઘવાયાં
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક લકઝરી બસે પલટી ખાતાં 25 પ્રવાસીઓ ઘવાયાં

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક લકઝરી બસે પલટી ખાતાં 25 પ્રવાસીઓ ઘવાયાં

0
Social Share
  • લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી
  • મધ્ય પ્રદેશના પ્રવાસીઓથી બસ ભરેલી હતી
  • અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લીંબડી અને સાયલા વચ્ચે વસ્તડી ગામના પાટિયા પાસે પુરફાટ ઝડપે જતી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા બસ રોડ પર પલટી ખાંતા 25 પ્રવાસીઓને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. બસમાં તમામ પ્રવાસીઓ મધ્યપ્રદેશના છે, સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર વધુ એક  અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના પાટિયા પાસે બસે પલટી ખાધી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને સાયલા અને લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી.

જોરાવરનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી આ લક્ઝરી બસનો અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને કોઈ પણ મુસાફરની સ્થિતિ ગંભીર નથી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code