1. Home
  2. ગુજરાતી
  3. કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત
કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત

કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત

0
Social Share

કોલકાતાઃ કોલકાતાના બડા બજારમાં ઋતુરાજ નામાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી.

ધુમાડાના કારણે કેટલાક લોકો હોટલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને બચાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને હોટલમાં પ્રવેશવા માટે દિવાલ તોડવી પડી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું નથી.

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા દિલીપ ઘોષે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મીડિયા સાથે વાત કરતા કહ્યું, કોઈ પણ સલામતીના નિયમોનું પાલન કરાતું નથી. ગેરકાયદેસર બાંધકામો થાય છે પરિણામે, આવી ઘટનાઓ બને છે, 14 લોકોના મોત એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે આ બાબતને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code