1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે,  ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

0
Social Share
  • ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે,
  • સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ,
  • શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવશે. નેશનલ કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટની માફક જ આ એથ્લેટિક્સ ઇવેન્ટ પણ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનથી લઈને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ તેજ સ્થળે મેડલ સેરેમની થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 5મી ડિસેમ્બરથી ખેલ-કૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ દિવસીય આ મહોત્સવમાં યુનિ સંલગ્ન 70 જેટલી કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે પ્રથમ વખત સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી સ્પર્ધકોના પર્ફોમન્સને કોઈ અસર ન થાય. આવતી કાલે ગુરૂવારે સવારે 7 વાગ્યાથી ઇવેન્ટ શરૂ થઈ જશે, જ્યારે ઓપનિંગ સેરેમની સવારે 10 વાગ્યે થશે. જેમાં કાયૅકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે નિવૃત્ત શારીરિક શિક્ષણ અધ્યાપકોનુ સન્માન પણ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન ખેલકૂદ રમતોત્સવ યોજાશે. ભાઈઓ અને બહેનોની 19 ઇવેન્ટ યોજવામાં આવી છે, જેમાં દોડ, કૂદ અને ફેંકની ઇવેન્ટ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત ત્રણ નવી ઇવેન્ટ ઉમેરવામાં આવે છે. આ વખતે એમ.પીએડ. ભવન અને શારીરિક શિક્ષણના અધ્યાપકોને સાથે રાખી નેશનલમાં જે રીતે ટુર્નામેન્ટ થાય તે જ રીતે અહીં પણ એથલેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.  સૌપ્રથમ આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને સાથે જ ખેલાડીઓની ઇવેન્ટ વાઇઝ વહેંચણી કરવામાં આવે. જે પછી પૂર્ણ થયા બાદ તુરંત તેની મેડલ સરેમની યોજવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને તે જ સ્થળે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે. નેશનલ કક્ષાની સ્પર્ધામાં જે પ્રકારનું માહોલ હોય તે પ્રકારના માહોલમાં જ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જેથી આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ અને બાદમાં ખેલો ઇન્ડિયા ઉપરાંત આ વખતે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code