Homeગુજરાતીઆઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના ઉદઘાટન સમારોહમાં શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે

આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના ઉદઘાટન સમારોહમાં શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે

નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ભવ્ય આરંભ આ વખતે ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં થવાનો છે. ગુરુવારે આઈસીસીએ માહિતી આપી કે બૉલીવુડની જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે. આ સમારોહ ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારા પ્રથમ મુકાબલા પહેલાં યોજાશે. ખાસ વાત એ છે કે શ્રેયા ઘોષાલે આ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત ‘બ્રિંગ ઇટ હોમ’ પણ ગાયું છે.

વર્લ્ડ કપનો પહેલો મુકાબલો 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે અને ટૂર્નામેન્ટનું સમાપન 2 નવેમ્બરે થશે. આ વખતે કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતમાં મુકાબલા ગુવાહાટી, ઈન્દોર, વિશાખાપટ્ટનમ અને મુંબઈમાં થશે, જ્યારે શ્રીલંકામાં મુકાબલો કોલંબોમાં યોજાશે.

આઈસીસીએ ટિકિટ અને મનોરંજન યોજનાઓની પણ જાહેરાત કરી. આ વખતે ટિકિટોના ભાવ ખૂબ જ સસ્તા રાખવામાં આવ્યા છે. ભારતમાં લીગ ચરણના મુકાબલાની ટિકિટની શરૂઆતની કિંમત ફક્ત 100 રૂપિયા રાખવામાં આવી છે. આઈસીસીનું કહેવું છે કે આ પગલું સ્ટેડિયમ ખચાખચ ભરાવવા અને વધુમાં વધુ દર્શકોને મહિલા ક્રિકેટ સાથે જોડવા માટે લેવામાં આવ્યું છે. ટિકિટોનું વેચાણ ગુરુવાર, 4 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જેમાં ગૂગલ પે વપરાશકર્તાઓ માટે ચાર દિવસની ખાસ પ્રિ-સેલ વિન્ડો રાખવામાં આવી છે, જે સોમવાર, 8 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ટિકિટો tickets.cricketworldcup. com વેબસાઇટ પરથી ખરીદી શકાશે. ગૂગલ પેએ પણ ક્રિકેટ ચાલકોને આ રોમાંચક ક્રિકેટ મહાકૂંભનો ભાગ બનાવવા માટે ખાસ ઑફર અને પ્રી-સેલ ઍક્સેસ આપવાની જાહેરાત કરી છે.

સંબંધિત લેખો

Most Popular