1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભામાં સપાના સાંસદે રાણા સાંગા મુદ્દે આપેલા નિવેદનને પગલે હંગામો
રાજ્યસભામાં સપાના સાંસદે રાણા સાંગા મુદ્દે આપેલા નિવેદનને પગલે હંગામો

રાજ્યસભામાં સપાના સાંસદે રાણા સાંગા મુદ્દે આપેલા નિવેદનને પગલે હંગામો

0
Social Share

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય રામજીલાલ સુમન દ્વારા, રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. રાણા સાંગા પર આપેલા નિવેદનને લઈને, શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપે માંગ કરી હતી કે, જ્યાં સુધી રામજી સુમન અને વિપક્ષી નેતા ખડગે આ મામલે માફી નહીં માંગે, ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ગૃહમાં સપા સાંસદ રામજીલાલ સુમનને સુરક્ષા પૂરી પાડવા અંગે ચર્ચા થઈ. આના પર ભાજપના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો કે, સાંસદે દેશના નાયક વિશે અભદ્ર વાતો કહી છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, ગૃહની કાર્યવાહીમાંથી જે નિવેદન દૂર કરવામાં આવ્યું છે, તેનું પુનરાવર્તન અહીં ફરી ન થઈ શકે. રાણા સાંગા એક બહાદુર માણસ હતા, જે દેશ માટે લડ્યા હતા. હું તેમની બહાદુરીને સલામ કરું છું.

આ પછી, રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે, ભાજપના સાંસદ રાધા મોહન અગ્રવાલને ગૃહમાં તક આપી. રાધા મોહન અગ્રવાલે કહ્યું કે, જો લાલજી સુમન એ વાતનો ખુલાસો કર્યો હોત કે તેમણે ભૂલથી આ વાત કહી દીધી હોત, તો મામલો તે દિવસે જ સમાપ્ત થઈ ગયો હોત, પરંતુ સાંસદે નિવેદન આપ્યું કે, તેઓ પોતાના શબ્દો પાછા નહીં લે અને માફી નહીં માંગે. આ દર્શાવે છે કે, તેમણે આ નિવેદન જાણી જોઈને અને કાળજીપૂર્વક વિચાર કર્યા પછી આપ્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેમણે રાણા સાંગાને દલિત સમુદાય સાથે જોડીને મુદ્દાનું રાજકારણ કર્યું છે. કોંગ્રેસે હંમેશા દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસ હંમેશા રાષ્ટ્રવિરોધી શક્તિઓની સાથે રહી છે. કોંગ્રેસે માફી માંગવી જોઈએ.

આ અંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેઓ પણ રાણા સાંગાના મામલે શાસક પક્ષ સાથે છે. રાણા સાંગા દેશ માટે લડ્યા, કોંગ્રેસ તેમનું સન્માન કરે છે. અધ્યક્ષ ધનખડે કહ્યું કે, કોઈપણ સભ્ય કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. સભ્યની સલામતી સુનિશ્ચિત કરવી આવશ્યક છે. આ એક ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે, વાંધાજનક નિવેદન પછી, સપા સભ્યએ ફરીથી એ જ નિવેદન આપ્યું. પ્રોફેસર રામગોપાલે પરિસ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. ભાજપના સાંસદ પીયૂષ ગોયલે કહ્યું કે, સમાજવાદી પાર્ટીએ દેશના નાયકનું અપમાન કર્યું છે અને રાણા સાંગા પર અભદ્ર નિવેદન આપ્યું છે. રામજીલાલ સુમનના નિવેદનો નિંદનીય છે. આ પછી અધ્યક્ષે રામજી લાલ સુમનને સ્પષ્ટતા આપવાની તક આપી. જે બાદ ગૃહમાં હોબાળો શરૂ થયો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે રામજી લાલે તાજેતરમાં રાજ્યસભામાં કહ્યું હતું કે, ‘ભાજપના લોકોનું આ એક ઉદાહરણ વાક્ય બની ગયું છે કે, તેમની પાસે બાબરનો ડીએનએ છે.’ હું જાણવા માંગુ છું કે બાબરને આખરે કોણ લાવ્યો? ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા બાબરને લાવ્યા હતા. જો મુસ્લિમો બાબરના વંશજો છે, તો તમે લોકો તે દેશદ્રોહી રાણા સાંગાના વંશજો છો. રાણા સાંગા પર નિવેદન આપ્યા બાદ, બુધવારે આગ્રામાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના નિવાસસ્થાને ભારે હોબાળો થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code