1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં

0
Social Share

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોલ્ડ્રિફ કફ સિરપનો સમાવેશ થાય છે. આ સિરપ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મૃત્યુ પછી આ મામલો સામે આવ્યો હતો, જેનાથી દેશભરમાં ચિંતા વધી ગઈ છે. WHOની તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ્ડ્રિફ સિરપમાં એક ઝેરી રસાયણ ડાયથિલીન ગ્લાયકોલ (Diethylene Glycol – DEG) ખૂબ જ વધુ માત્રામાં ભેળવવામાં આવ્યું છે. ડીઈજી એક એવું કેમિકલ છે જે શરીર માટે અત્યંત નુકસાનકારક હોય છે. તે કિડની અને લીવરને ગંભીર રીતે અસર કરી શકે છે અને બાળકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. કોલ્ડ્રિફ સિરપમાં આ રસાયણનું પ્રમાણ 48 ટકાથી પણ વધુ મળી આવ્યું હતું, જ્યારે સુરક્ષિત માત્રા માત્ર 0.1ટકા સુધીની હોવી જોઈએ.

કોલ્ડ્રિફ સિરપ ઉપરાંત અન્ય બે સિરપ પણ WHOની ચેતવણીમાં સામેલ છે:રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સની રેસ્પિફ્રેશ ટીઆર (Respifresh TR),શેપ ફાર્માની રીલાઇફ (Relife)WHOએ તમામ દેશોને અપીલ કરી છે કે જો આ સિરપ કોઈપણ દેશમાં મળે તો તેની જાણકારી તુરંત WHOને આપવામાં આવે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય. કોલ્ડ્રિફ સિરપને લઈને તપાસ થયા બાદ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સની દવા બનાવવાની પરવાનગી સરકારે તાત્કાલિક રદ કરી દીધી હતી. સાથે જ, કંપનીના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ તમિલનાડુ રાજ્યમાં તમામ દવા કંપનીઓની ફેક્ટરીઓની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી અન્ય કોઈ જગ્યાએ ગુણવત્તામાં બેદરકારી ન રહી જાય.

મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકારે સક્રિય થઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી (સલાહ) જાહેર કરી છે:બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ બિલકુલ ન આપવું.પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ જરૂર હોય તો જ કફ સિરપ આપવું.સરકારે ડોકટરો અને ફાર્મસીઓને ચેતવણી આપી છે કે બાળકો માટેની દવાઓ ખૂબ જ સાવધાનીપૂર્વક લખે અને વેચે.આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના દેશની દવા કંપનીઓની મોનિટરિંગ સિસ્ટમમાં રહેલી મોટી ખામીને ઉજાગર કરે છે. તેમનું માનવું છે કે હવે ભારતમાં દવા બનાવવાની પ્રક્રિયા પર સખત નિયંત્રણ રાખવું અને દરેક બેચની કડક તપાસ કરવી સમયની માંગ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code