1. Home
  2. ગુજરાતી
  3. બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર મરાયાં
બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર મરાયાં

બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર મરાયાં

0
Social Share
  • સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયો ધાણીફુટ ગોળીબાર

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદની સાથે નક્સલવાદી પ્રવૃતિઓને ડામી દેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસારઉસુર બ્લોકના બાસાગુડા, ઉસુર અને પામેડ વિસ્તારોમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં, સુરક્ષા દળોની એક સંયુક્ત પાર્ટીએ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.. આ એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code