Homeગુજરાતીગુજરાતગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 28 નવેમ્બરના રોજ જોબફેરનું આયોજન

ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 28 નવેમ્બરના રોજ જોબફેરનું આયોજન

અમદાવાદઃ જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા 28 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે કુડાસણ ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 12 પાસ,ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો ભાગ લઇ શકશે.ઉલ્લેખનીય છે કે આ ભરતી મેળા દરમિયાન સેલ્સ એક્ઝીક્યુટીવ માટેની જગ્યા અંતર્ગત ભરતી યોજાનાર છે. રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે.

જેથી ભરતી મેળાનો લાભ લેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા.

સંબંધિત લેખો

Most Popular