1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. MLA રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, બે ટકાના ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે
MLA રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, બે ટકાના ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે

MLA રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, બે ટકાના ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે

0
Social Share
  • જામ કંડોરિયામાં સમુહ લગ્નમાં જયેશ રાદડિયાએ છોડ્યા વાકબાણ
  • બે ટકા ટરોરિયોને હવે સમાજે જવાબ આપવો પડશે,
  • જેને રાજનીતિ સાથે લેવાદેવા નથી તે સમાજમાં રાજનીતિ કરે છે

રાજકોટઃ જિલ્લાના જામ કંડોકણામાં યોજાયેલા લેઉવા સમાજના સમુહ લગ્ન સમારોહમાં જાહેર મંચ પરથી ભાજપના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયાએ  નામ લીધા વિના પોતાના વિરોધીઓ સામે ઊભરો ઠાલવ્યો હતો. રાદડિયાએ  વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જામ કંડોરણમાં લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાયેલી સમાજની 511 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે. જે સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવાનમા હાડકા નાખવાની કામગીરી કરતા હોય છે. આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે. ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતા પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ વધુમાં નામ લીધા વગર વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે. તેમાં ટોળકી ક્યાંય આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંય પીછેહઠ નથી થવાની. જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે. રાજનીતિ સાથે ન્હાવા નીચોવાનો સંબંધ નથી. તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કહ્યું કે, આજે સુધરશે કાલે સુધરશે. રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેવા ચોકઠા ગોઠવવા વાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code