1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત
કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

0
Social Share

બેંગ્લોરઃ કેરળના અલપ્પુઝામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે એક કાર અને KSRTC બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોના મોત થયા હતા.

પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલારકોડ પાસે રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. મૃતક સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. પોલીસે જણાવ્યું કે, અકસ્માત સમયે કારમાં સાત લોકો હતા, જેમાંથી પાંચના મોત થયા હતા.

પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા, તે તૂટી ગઈ હતી અને અંદર બેઠેલા યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code