1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કાચા પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરાઈ
કાચા પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરાઈ

કાચા પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરાઈ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રએ કાચા પામ તેલ, કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10 ટકા કરી છે. આ પગલાનો હેતુ રસોઈ તેલના છૂટક ભાવ ઘટાડવા અને સ્થાનિક પ્રોસેસરોને સુરક્ષિત રાખવાનો છે. આ સંદર્ભમાં નાણા મંત્રાલય દ્વારા તાત્કાલિક અસરથી એક સૂચના જારી કરવામાં આવી હતી.અગાઉ, આ ત્રણ ક્રૂડ ખાદ્ય તેલ પરની ડ્યુટી 20 ટકા હતી. ભારત તેની સ્થાનિક ખાદ્ય તેલની જરૂરિયાતના 50 ટકાથી વધુની આયાત કરે છે.

ભારતે 2023-24 તેલ માર્કેટિંગ વર્ષ (નવેમ્બરથી ઓક્ટોબર) દરમિયાન 159.6 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી, જેની કિંમત 1.32 લાખ કરોડ રૂપિયા હતી. રિફાઇન્ડ તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 32.5 ટકા પર યથાવત છે. ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ તેલની આયાત કરે છે. સોયાબીન તેલ બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code