
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી છે. બંનેએ એક્સ-પોસ્ટ દ્વારા તેને સંવાદિતા અને શાંતિના તાંતણામાં વણાયેલો તહેવાર ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે હું બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, શ્રદ્ધા અને ઘણા ઉમદા આદર્શોનું મહત્વ સમજાવે છે. ચાલો આ શુભ પ્રસંગે સમાજ અને દેશ માટે સમર્પણની ભાવના સાથે સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના X હેન્ડલ પર શુભેચ્છા સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું, “ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ. આ પ્રસંગ આપણા સમાજમાં સંવાદિતાને પ્રેરણા આપે અને શાંતિના તાંતણાને મજબૂત બનાવે. દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ.” કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ તહેવારને બલિદાન અને શ્રદ્ધાનો તહેવાર ગણાવ્યો છે. તેમણે લખ્યું છે કે- ઈદ-ઉલ-અઝહા નિઃસ્વાર્થ બલિદાન, શ્રદ્ધા અને ક્ષમાના મહાન મૂલ્યોની ઉજવણી કરે છે. આ આનંદદાયક પ્રસંગની ઉજવણી કરતી વખતે ચાલો આપણે બધા એક થઈને મજબૂત ભાઈચારાને પ્રોત્સાહન આપીએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને ન્યાયી સમાજ માટે કામ કરીએ. ઈદ મુબારક!
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈદની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું- ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ. બસપાના વડા માયાવતીએ પણ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “દેશ અને દુનિયાભરમાં રહેતા તમામ ભારતીય ભાઈઓ અને બહેનો અને તેમના પરિવારોને ઈદ-ઉલ-અઝહાના તહેવાર પર હાર્દિક અભિનંદન અને સુખ, શાંતિ અને સમૃદ્ધ જીવનની શુભકામનાઓ.”