1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરના પડાણા નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માત, બેના મોત
જામનગરના પડાણા નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માત, બેના મોત

જામનગરના પડાણા નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માત, બેના મોત

0
Social Share
  • કાર-ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
  • રિક્ષામાં સવાર બે યુવાનોના મોત
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જામનગરઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના પડાણા નજીક કાર, ટ્રક, અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા. આ બંને મૃતક મિત્ર હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા પાટીયા પાસે મોડી સાંજે ટ્રક કાર અને કેરિયર રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જામનગરના વતની પટણીવાડ વિસ્તારના બે યુવાનોના મોત નિપજતાં ભારે માતમ છવાયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. સમગ્ર મામલે મેઘપર-પડાણા પોલીસ તપાસ ચલાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજી કે જેના નિકટવર્તી સગા સંબંધી સોહીલ વલીભાઈ શેખ (ઉંમર વર્ષ 30) અને હાજી કાસમભાઈ (ઉ.વ.27) કે જેઓ બંને જામનગરથી જી.જે.10 ટી.ઝેડ. 1889 નંબરની કેરિયર રિક્ષામાં માલ સામાન ભરીને જામનગરથી પડાણા તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન સાંજે 7.15  વાગ્યાના અરસામાં પડાણા પોલીસ સ્ટેશન પાસે જી.જે. 10 ટી.વાય.6695 નંબરના ટ્રક તેમજ જીજે-3 એમ.બી.4004  નંબરની કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માત એટલો ભયંકર હતો, કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા હતા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકુ વળી ગયું હતું, અને તેમાં બેઠેલા બંને જામનગરના યુવાનો સોહિલ વલીભાઈ શેખ (ઉ.વ.30) તેમજ હાજી કાસમ ભાઈ (ઉંમર વર્ષ 27) બન્ને ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા અને તેઓને 108 નંબરની એમ્બ્યુન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતકના નિકટવર્તી એવા જામનગરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ પટણી સમાજના અન્ય યુવાનો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે માતમ છવાયો હતો. સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ સૌપ્રથમ ઘટના સ્થળે, અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બન્ને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે આ અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code