1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી
સુરતના 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી

સુરતના 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી

0
Social Share
  • સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદન સામે થયો વિરોધ
  •  લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી નથી, રિયલ
  •  લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક

સુરત: ગુજરાતનો હીરો ઉદ્યોગ લાખો પરિવારોને રોજગારી આપતો મુખ્ય ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગનું મુખ્ય મથક સુરત ગણાય છે. અને વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત શહેર મંદીનો માર સહન કરી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગ લેબગ્રોન ડાયમંડને લીધે સંકટમાં મુકાયો હોવાનું કહેતા તેમના આ વિધાન સામે મોટો વિવાદ થયો છે અને સુરતના તમામ હીરા વેપારીઓ એક સ્વરમાં ધોળકિયાના નિવેદનનો વિરોધ કર્યો છે.

ગુજરાતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. વ્યાપક મંદીને લીધે સુરત શહેર સહિત અન્ય શહેરોમાં અનેક કારખાના બંધ થઈ ગયા છે. રાજ્યમાં હાલ 17 લાખથી વધુ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી. રત્નકલાકારોના પગારમાં પણ 50 ટકાનો કાપ મુકાયો છે. આ મહામંદી હટે અને ફરી હીરામાં તેજી આવે તેવી સૌ કોઈ ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે. મંદીના સૌ કોઈ અલગ અલગ કારણો આપી રહ્યા છે. કોઈ વૈશ્વિક મંદીનું કારણ ધરી રહ્યું છે. તો કોઈ યુદ્ધને આગળ ધરી રહ્યું છે. પરંતુ જાણીતા હીરા વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના મતે હીરામાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ છે. ધોળકિયાનું આ નિવેદન હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં હીરાના વેપારીઓએ વિરોધ કર્યો છે, કારણ કે સુરતમાં રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ મોટા પાયે વેપાર થાય છે. સુરતના અનેક વેપારીઓેએ ધોળકિયાના નિવેદનને વખોડ્યું છે. ગ્રીન લેબ ડાયમંડ સાથે સંકળાયેલા વેપારીઓએ દાવો કર્યો છે. કે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી દેશમાં ઉભરી રહી છે. હીરામાં મંદીનું કારણ યુદ્ધ છે. ગોવિંદ ધોળકિયાનું નિવેદન તેમનો અંગત મત છે. પરંતુ મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી. ત્યાં વધુ એક હીરા ઉદ્યોગકારે કહ્યું હતું. કે, ગોવિંદ ધોળકિયાના નિવેદનથી લેબગ્રોન ઈન્ડસ્ટ્રીને નુકસાન થશે. મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી.

હીરાના વેપારીઓના કહેવા મુજબ રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. બન્ને હીરાની કિમતમાં 10 ગણો તફાવત હોય છે..રિયલ હીરો ખાણમાંથી કાઢવામાં આવે છે. જ્યારે લેબગ્રોન લેબની અંદર તૈયાર થાય છે…વિશ્વમાં હાલ લેબગ્રોનની ડિમાન્ડ વધી છે. ઈકો ફ્રેન્ડલી લોકોને લેબગ્રોન ખુબ જ આકર્ષી રહ્યો છે. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code