1. Home
  2. ગુજરાતી
  3. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેટ્સ સહિતના મહેમાનોને પીએમ મોદી મળશે
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેટ્સ સહિતના મહેમાનોને પીએમ મોદી મળશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેટ્સ સહિતના મહેમાનોને પીએમ મોદી મળશે

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે.

આજે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મોદી પડદા પાછળ કામ કરતા કલાકારોને મળશે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. આ સમારંભમાં બંધારણની 75મી વર્ષગાંઠ અને જનભાગીદારી પર એક ઝાંખી પણ રજૂ કરવામાં આવશે. આ વર્ષે વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના 31 ટેબ્લોનો મુખ્ય વિષય – સુવર્ણ ભારત – વારસો અને વિકાસ હશે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભગવાન બિરસા, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને હવામાન વિભાગ પર આધારિત ઝાંખીઓ પણ સામેલ હશે. પરેડમાં, દેશના વિવિધ ભાગોમાંથી ત્રણસો કલાકારો સંગીતનાં સાધનો સાથે સારે જહાં સે અચ્છા રજૂ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code