1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર
અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર

0
Social Share

નવી દિલ્હીઃ અમેરિકામાંથી ગેરકાયદે વસવાટ કરતા ભારતીય નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘દરેક દેશની જવાબદારી છે કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લઈ લે.’ આ લોકોને અમેરિકા ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.’2012 થી અમલમાં આવેલ એક નિયમ મુજબ જ્યારે લોકોનો વિમાન દ્વારા દેશનિકાલ કરવામાં આવે છે, ત્યારે તેમને સલામતી માટે બાંધીને રાખવામાં આવે છે, પરંતુ ICE એ અમને કહ્યું છે કે મહિલાઓ અને બાળકોને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે તેમને બાંધવામાં આવતા નથી.

અધ્યક્ષે કહ્યું કે તેમણે પોતે નક્કી કર્યું છે કે આ મુદ્દા પર મંત્રી તરફથી નિવેદન આવવું જોઈએ. મને ખુશી છે કે વિદેશ મંત્રીએ પોતે મારી પરવાનગી માંગી અને સંકેત આપ્યો કે તેઓ આ મુદ્દા પર નિવેદન આપશે. હું ગૃહમાં વિવિધ પક્ષોના નેતાઓને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપીશ. આ ઉપરાંત સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ કહ્યું કે, પરિસ્થિતિની ગંભીરતાને જોઈને વિદેશ મંત્રી નિવેદન આપવા માટે સંમત થયા છે અને તેમણે વિનંતી કરી છે કે તેઓ બે વાગ્યે નિવેદન આપશે. સભ્યો પણ એ જ ઇચ્છતા હતા..

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દા પર સરકારને નિવેદન આપવાનો નિર્દેશ આપવા બદલ અધ્યક્ષનો આભાર માન્યો, ત્યારબાદ સરકારે તેનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું, ‘સરકાર પોતે આ મુદ્દા પર કોઈ નિવેદન આપવા માંગતી ન હતી. તમારો પ્રભાવ એટલો બધો હતો કે આખરે તેને સંમત થવું પડ્યું. જોકે, ધનખડે કહ્યું, ‘મારો પ્રભાવ એટલો બધો હતો કે મંત્રીએ પોતે આવીને આ કહ્યું.’

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તેઓ સ્પીકર પાસે ગયા હતા અને તેમને કહ્યું હતું કે ગૃહને આ વિશે (અમેરિકાથી દેશનિકાલ વિશે) જાણ કરવી જોઈએ. આ અંગે ધનખડે કહ્યું, ‘જાહેર હિત અને રાષ્ટ્રીય હિતના તમામ મુદ્દાઓ પર ગૃહને વિશ્વાસમાં લેવામાં આવે તે સારી વાત છે.’

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો પર રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે એક નિવેદન આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લેવાની જવાબદારી બધા દેશોની છે. પરત ફરતા ડિપોર્ટીઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.

જયશંકરે કહ્યું, ‘ગૃહ એ વાતની પ્રશંસા કરશે કે અમારું ધ્યાન ગેરકાયદેસર ઇમિગ્રેશન ઉદ્યોગ સામે કડક કાર્યવાહી કરવા પર છે.’ આ પણ થવું જોઈએ. દેશનિકાલ કરાયેલા લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, કાયદા અમલીકરણ એજન્સીઓ એજન્ટો અને આવી એજન્સીઓ સામે જરૂરી, નિવારક અને ઉદાહરણરૂપ પગલાં લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code