1. Home
  2. ગુજરાતી
  3. તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો
તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો

તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો

0
Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો. તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પહેલગામમાં 26 લોકોને નિશાન બનાવાયેલા આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.”

આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એકતાનો પુનરાવર્તિત કરતા તેમણે લખ્યું, “અમે વડાપ્રધાન મોદી અને ભારતના તમામ લોકો સાથે ઉભા છીએ. અમે તમારી સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવામાં તમારું સમર્થન કરીએ છીએ.” ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો કેન્દ્ર સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

હુમલાનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ લોકોને મારતા પહેલા તેમના ધર્મ વિશે પૂછ્યું હતું. સરકારે કહ્યું છે કે આ હુમલા પાછળ પાડોશી દેશ પાકિસ્તાનનો હાથ છે. પહેલગામ ઘટના પછી, સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં, કેન્દ્ર સરકારે ઘણા કઠિન અને મોટા નિર્ણયો લીધા, જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી, પાકિસ્તાનમાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવવા અને ભારતમાં પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવી મહત્વપૂર્ણ છે. આ આતંકવાદી હુમલા બાદ દેશની અંદર અને વિદેશમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અમેરિકા, રશિયા અને ઇઝરાયલ જેવા મહત્વપૂર્ણ દેશો ભારતને ટેકો આપી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code